ગીગો મહિયો - સોરઠની ધરતીનો સિંહ સોરઠી બહારવટિયા - ઝવેરચંદ મેઘાણી આ ઐતિહાસીક વાત સોરઠના ખમીરવંતા ઈતિહાસમાં છુપાયેલી પડી છે, જેને આજે જોઈએ. દયા દાન ને દાતારી , માન મર્યાદા ને મૉટપ , આ બધા લક્ષણો કુળ માં ઊતરી આવે સાહેબ , ઇ ચોપડા થોડા છે કે વાંચવામાં આવે ? વિર શહીદો અને શુરવીરો ની શું તાકાત, ત્યાગ અને બલીદાન હતા ? એ આપણે જોઈએ સૌરાષ્ટ્રના ઇતિહાસની મહત્વની આવી ઘટના મિત્રો મેં અને તમે આ પ્રસંગને વાંચ્યો હશે, લોકસાહિત્યકારોના મુખેથી સાંભળેલ પણ હશે પણ હ્રદયનો એક ઉમળકો એક ભાવ એને વશ થઇ અહીં રજૂ કરું કરવા માગું છું ! આ વાત છે સોરઠના સિંહ એવા , મહિયા રાજપુત , ગીગા મહિયા ની કે જેની એક વીર હાંકથી સોરઠની પ્રજા ફફડે , જેનું નામ પડતા ઘોડિયામાં સૂતા બાળકો શાંત થઇ જતા , જેનું નામ પડતા ગામના ઝાંપા દેવાય જતા , અને જેના નામથી મકરાણીઓના સુવાસ નિકળી જતા. પટેલીયા પરગણા તણા , જુનાણે રાવું જાય , ડણકે ડુંગરમાંય , ગાળે સાવજ ગીગડો . ( પરગણાના પટેલો ગીગાના ત્રાસ સામે દાદ કરવા જૂનાગઢ જાય છે.અને ગીરનો સિંહ ગીગો તો ડુંગરા માં ગજૅના કયૉ જ કરે છે. ) ઉનેથી જુના લગે નારી ન