Posts

Showing posts from 2017

લોકકથાની વાતો - ડો.પ્રદ્યુમ્ન ખાચર

લોકકથાની વાતો - ડો.પ્રદ્યુમ્ન ખાચર મહિયા રાજપુત ની ખાનદાની અને ખુમારી - સોરઠ પંથકના કેશૉદ તાલુકાના કણેરી ગામના મહિયા રાજપૂત એવા ગીગા મહિયા બહારવટે ચડેલ ને જેણે સોરઠની ધરતીને ધ્રુજાવી દીધી હતી. જેણે નીતિ-ધર્મથી જ બહારવટું ખેડેલું માટે જૂનાગઢ રાજ્યના પ્રજાજનો કારડિયા, કણબી પટેલ, રબારીઓ તેને પ્રેમથી રોટલા પૂરા પાડતા હતા એમાં કોઈ બળજબરી કે ધાકધમકી નહોતા. એ ગીગાના મુઠી જેવડા હૃદયમાં એક દીકરી માટે કેવી બધી ભાવના અને ત્યાગ સમાયેલો હતો તેની આજ વાત કરવી છે, જે સાંભળતા લાગે કે બાપ-દીકરીથી કોઈનો પ્રેમ વધુ હોતો જ નહિ હોય ? ગીગાને રાણીબા નામની અતિ વહાલસોયી એક દીકરી હતી જે દીકરીને તેની મા બે વર્ષની મૂકીને સ્વર્ગની વાટે ચાલી નીકળી હતી, ત્યારે ગીગાના તમામ સગાવ્હાલાઓ તમામ શબ્દો અને સંબંધો અને ઈશ્ર્વરીય માયા સમજાવીને કહે છે કે તું બીજા લગ્ન કરી લે. એમાં કંઈ ખોટું નથી ને રાણીબા ને પણ કશો જ વાંધો સાવકીમાં નહિ આવવા દે. અમે તે માટે બેઠા છીએ પણ ગીગો એકનો બે થતો નથી. હવે ગીગો પોતાની તમામ શક્તિ અને પ્રેમને આ બાળકી ઉપર જ કેન્દ્રિત કરીને તેને માની હૂંફની ખોટ ન આવી પડે એ રીતે ઉછેરી રહ્યો હતો, આ દૃશ્ય જોનારને

લડાઈમાં નાના ભાઇની રક્ષા કરવા બહેનોએ પણ શહિદી વહોરી હતી

લડાઈમાં નાના ભાઇની રક્ષા કરવા બહેનોએ પણ શહિદી વહોરી હતી - 1883 માં ગીરનાં કનડા ડુંગર પર નવાબ સામે રીસામણે બેસેલ મહિયા રાજપુતોમાં - નવાબે દગો કરી મારી નાખેલા તમામ શહિદોની કનડા ડુંગરમાં આજે પણ ખાંભી છે મેંદરડા: ઇ.સ.1883 માં અંગ્રેજોના દબાણવશ થઈ હતી જૂનાગઢનાં નવાબ દ્વારા શેરગઢનાં રજવાડા પર પણ કર લાદવામાં આવતા મહિયા રાજપુતો દ્વારા ગીરનાં કનડા ડુંગર પર જઇને રીસામણે બેસેલ જેમાં તરશીંગળા ગામનાં 12 વર્ષનાં સામતબાપુ પણ પોતાની તલવાર લઇને ઘરેથી નિકળી ગયા હતા. જેનાં રક્ષણ માટે તેની બે મોટી બહેનો પણ આવી હતી અને નવાબ દ્વારા કરેલ દગામા ભાઇની રક્ષા માટે બહેનોએ શહિદી વહેરી હતી. જ મહિયા રાજપુતો દ્વારા અવાર-નવાર નવાબની મદદને પગલે ખુશ થઇને જૂનાગઢનાં નવાબ દ્વારા 16 મી સદિમાં કેશોદ-માળિયા વિસ્તારનાં 24 ગામોની જાગીરદારી મહિયા રાજપુતોને આપેલ. જેમાં નવાબ દ્વારા કોઇપણ જાતનો કર નાંખવામાં આવતો ન હતો અને નવાબને જ્યારે જરૂર પડે ત્યારે મહિયા રાજપુતોની મદદ લેવામાં આવતી પરંતુ સમય જતાં દેશમાં અંગ્રેજો કોઠીઓ સ્થાપવા લાગેલ અને ધીમે ધીમે ગુલામીમા સમગ્ર દેશને ઝકળી લીધેલ અને તમામ નાના-મોટા રજવાડાઓ પર કર નાંખવાનું શરૂ

punja bapu paredi

🚩 *पुंजा बापु पारेडी*🚩 कनडा डुंगर नी आथे गीर नी फणच अडाबीड वनराईने वींटाळी पथरायेलो प्रदेश आवळ, बावळ ने बोरडी अने साग सीसमना वृक्षोना घटाटोप अंधारामा सूरज ना तेज डोकीया करे, आवी गहेरी अने गीच वनराईओमा करमदीना युवानी छत्रीमा गीरना सिंहो मारण करीने घेनमा घोरता मारणना घेन उतारता कवचित धुरका करी डूंगराओमा पडघाना पडछंदा गजावे सूरजना तेज ने ढांकती घटाटोप वनराईओमा नीलगाय, जरख, दिपडा, दंताणा, काटाभुंड, हरणाना निवासथी मढेला वनने छेडे चांदरवाडी गामने पादरे खळखळ वहेती मेगळ नदीऐ सांज ढळता डणकु देता सावजो पाणी पीवा आवे. ऐवा शौर्यथी नितरता चांदरवाडीमा पुंजा पारेडी महीया दरबारना शौर्य छलकाय अने पुंजा दरबारनी छायामा गामडाना खेडूतो निर्भय बनीने वगडा विंधता खेती करे. पुंजा बापु मूळ तो प्रभास पाटण परगणामा आवेल कुकरास गामना गरसीया दरबार गोरखमढीना गोरखधूणे नानपणथी बेसणा ऐटले संत साधुना सतसंगी त्यागव्रुती वाळा होवाथी संसारना एंचळा ओढी संसारयोगी कहीऐ तो यथार्थ गणाय. कोई समय नी प्रशंग वेळाऐ कुटुंब कलेशथी कंटाळी, मारा तारानी मोहजाळ छोडी गरासनो त्याग करी अलेखने आराधवा पोताना घर परिवारने साथे लई गीरनी वनराईओ